Showing posts with label Love. Show all posts
Showing posts with label Love. Show all posts

Saturday, June 16, 2018

પિતા, બસ એક શબ્દ હી કાફી હૈ...!!!





સનાતન ધર્મની પરંપરામાં દરેક કાર્યની શરૂઆત ભગવાન શ્રી ગણપતિને યાદ કરીને થાય છે. ભગવાન શંકર અને માતા પાર્વતિના પુત્રો કાર્તિકેય સ્વામિ અને ભગવાન ગણપતિ બન્ને ભાઈઓમાં સૃષ્ટિની પ્રદક્ષિણા કરીને સૌપ્રથમ કોણ પરત ફરે એવી સ્પર્ધા યોજાઈ. કાર્તિકેય સ્વામિ સૃષ્ટિની પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યા, જ્યારે ભગવાન ગણપતિએ માતા-પિતાની પ્રદક્ષિણાને સૃષ્ટિની પ્રદક્ષિણા સમાન ગણાવી પોતાની શ્રેષ્ઠતા પૂરવાર કરી અને પ્રથમ પૂજનીયનું સ્થાન મેળવ્યું. આ સાથે એમણે માતા-પિતાને સર્વોચ્ચ અને સર્વપ્રથમ સ્થાન આપવું એવું જ્ઞાન આપ્યું. પ્રસુતિની અસહ્ય પીડા સહન કરીને બાળકને જન્મ આપતી માતા દેખીતી રીતે જ ઈશ્વરતુલ્ય બની જાય છે. માતાનું એ ૠણ ક્યારેય ચૂકવી શકાય જ નહીં એ વાત એક હજારને એક ટકા સાચી પણ એ પણ સ્વીકારવું રહ્યું કે કોઈપણ જાતની અપેક્ષા વિના સંતાન માટે બધું જ કરી છૂટવા હંમેશા તત્પર પિતાનું અવમૂલ્યન કરીએ છીએ. માતા-પિતાની કલ્પના કરવાનું કહેવામાં આવે ત્યાર મોટાભાગના લોકોના મનમાં માતા એટલે મનમાં વાત્સલ્યભાવવાળી સકારાત્મક વ્યક્તિ અને પિતા એટલે તમારી દરેક રજૂઆતમાં પ્રશ્નો પૂછતા અને હંમેશા શિસ્તમાં રહેવાનો આગ્રહ રાખતા નકારાત્મક ચહેરાની છબી ઉપસી આવે. વર્તનનો આ તફાવત સ્વાભાવિક રીતે જ સંતાન અને પિતા વચ્ચે એક અંતર ઊભું કરી દે છે. નાની વયનું બાળક એ આભાસી નકારાત્મકતા પાછળ છૂપાયેલા પિતાના પ્રેમ, સંતાન પ્રત્યેની ચિંતા અને જવાબદારીને સમજી શકતું નથી. માતા દ્વારા પૂરી થતી તમામ ઈચ્છાઓ પાછળ પિતાનો પણ હાથ રહેલો હોય છે એ વાત બાળક વિચારી શકતું નથી. કહે છેને કે મા ની મમતાનો તાગ મેળવવો હોય તો માતા બનવું પડે એ જ રીતે પિતાના પ્રેમ અને ત્યાગની અનુભૂતિ તો પિતા બન્યા પછી જ થાય. જોકે, સમય બદલાતા આજે કરડા ચહેરાવાળા પિતાનું સ્થાન બાળકો સાથે હસતા-રમતા પિતાએ લઈ લીધું છે. સમય સાથે પરિવર્તન આવે એ સ્વાભાવિક છે પણ સંતાન પ્રત્યેના પિતાના કર્તવ્યમાં કોઈ પરિવર્તન નહીં આવે અને એ જ આપણી સંસ્કૃતિ છે. પિતાનો પ્રેમ માતાના વ્હાલ કરતા જરાપણ ઉતરતો નથી હોતો. લોકો કહે છે કે માતા કે પિતાનો કંઈ એક દિવસ થોડો હોય? વાત સાચી જ છે અને બધા સમજે પણ છે પરંતુ ઈન્ટરનેટિયા અને મોબાઇલિયા યુગમાં મા-બાપ પાસે થોડીવાર બેસીને એમને હળવા કરવાનું વિચારતા હોય એવા લોકો કેટલા છે? આવા સુનિશ્ચિત કરેલા દિવસો તમને અને મને ’ઈન્ટરનેટની કાલ્પનિક દુનિયામાંથી નીકળીને, આપણને વાસ્તવિક દુનિયામાં લાવનાર મા-બાપ માટે પણ સમય કાઢવો જોઈએ’ એ વાતની પ્રેરણા આપે છે.

ક્યાંક વાંચેલું એક સુંદર વાક્ય સર્વે પિતાઓને સાદર અર્પણ… “પપ્પા, તમે ઈશ્વર નથી કેમકે ઈશ્વર તો સુખ અને દુઃખ બન્ને આપે છે. પણ તમે તો ફકત સુખ જ આપો છો. Happy Father's day!”

જય હો!
કુલદીપ લહેરુ

https://www.facebook.com/kuldeeplaheru
https://www.instagram.com/kuldeep_laheru/

Thursday, April 5, 2018

માય વાઇફ ઇઝ માય લાઇફ



લગ્ન પછી શ્રવણનું જીવન બદલાઈ ગયું હતું. માતા-પિતા, સગા-સંબંધીઓ, મિત્રો, કરિઅર બધું જ એની પ્રાયોરિટીમાં ખુબ જ પાછળ રહી ગયું હતું. એની પત્ની શ્રદ્ધા પોતાનામાં જ મસ્ત અને વ્યસ્ત રહેનાર સ્ત્રી હતી. મિત્રો સાથેનો સંપર્ક તો એણે એ દિવસથી જ ઓછો કરી નાખ્યો હતો, જ્યારે નવવધૂએ એને કહ્યું હતું, “તમારા મિત્રો સ્વાર્થી છે. તમારી પાછળથી તમારી વાતો કરતા હોય એવું લાગે છે. તમે હંમેશા અવેલેબલ રહેતા હશો, એટલે એ બધા તમને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેતા હોય એવું લાગે છે.” વિચારો કરતા-કરતા એની આંખો મીચાઈ ગઈ અને એક પછી એક ઘટનાઓ એના અંતર્મનમાં જાણે પુનર્જીવિત થવા લાગી.

ફેસબૂક પર પોતાની પત્નીની તસવીર સાથે એણે સ્ટેટસ બદલ્યું, ’My wife is my life’. પત્ની પિયર ગઈ હતી. સાસુમાની તબિયત સારી ન હતી. એમના ખબર-અંતર પૂછવા શ્રવણે એની પત્ની શ્રદ્ધાને ફોન કર્યો. એ જ સમયે બીજા ઓરડામાંથી પપ્પાનો અવાજ આવ્યો, “બેટા, જલ્દી આવ તો અહીં.” પાંચ-છ રીંગ વાગ્યા બાદ શ્રદ્ધાએ ફોન કાપી નાખ્યો. એટલે એ પપ્પા પાસે ગયો.
“બેટા, આ જો તારી મા ને. હાથ છોલાઈ ગયો છે એનો. ચક્કર આવ્યા અને પડી ગઈ. બ્લડપ્રેશરની દવા ખાલી થઈ ગઈ છે. તું લેતો આવજેને.”

“શું પપ્પા તમે પણ ડરાવી દો છો. મને એમ કે શું થઈ ગયું હશે. શ્રદ્ધાની મમ્મીની તબિયત પણ ખરાબ છે. સાંજે ઑફિસેથી સીધો એમને જોવા જવાનો છું. તમે જ દવા લેતા આવજો. લો આ રૂપિયા રાખો.”
“બેટા, રૂપિયા નથી જોતા. પહેલા તો તું કેવું ધ્યાન રાખતો તારી મા નું? કેમ બદલાઈ ગયો છું? હું જ લઈ આવત. પણ મને’ય ઓછું દેખાય છે. એક ને બદલે બીજી દવા આવી જાય તો? નજીકમાં ક્યાંય મેડિકલ સ્ટોર પણ નથી. રસ્તામાં વાહનો પણ કેટલા છે. ક્યાંક ભટકાઈ ગયો તો એક કરતા બીજું થશે.” આવું કહેવાનો વિચાર આવ્યો પણ મો ખુલી ન શક્યું. અને એ સાંભળવા માટે શ્રવણ પણ રોકાયો હોય તો ને. એને ઑફિસ જવા માટે મોડું થતું હતું. એની પાસે સમયનો અભાવ હતો.

ઑફિસે જતી વખતે રસ્તામાં ફરી શ્રદ્ધાને ફોન કર્યો. નો-રિપ્લાય થતા એણે મેસેજ છોડવા વ્હોટ્સએપ ખોલ્યું. શ્રદ્ધા ઑનલાઇન હતી. એને વિચાર આવ્યો, “ફોન ન ઉપાડ્યો પણ ઑનલાઇન છે. આવું કેમ કર્યું હશે? કદાચ સાસુમાની તબિયતને લીધે એને વાત કરવાનું મન નહીં થતું હોય.” એણે મેસેજ મોકલ્યો. “મમ્મીને કેમ છે? તબિયત સાચવજે. કોઈ દવા લેવાની હોય તો કહે. ઑફિસના રસ્તામાં છું. જતા પહેલા આપતો જઈશ.” મેસેજ વાંચ્યા વિના જ શ્રદ્ધા ઑફલાઇન થઈ ગઈ. શ્રવણે બીજા ત્રણ મેસેજ મોકલ્યા પણ શ્રદ્ધાએ એકપણ મેસેજ વાંચવાની તસ્દી ન લીધી.

બપોરે જમતી વખતે પપ્પાનો ફોન આવ્યો.
“હેલ્લો… શ્રવણ?”
“હું જ હોવને પપ્પા મારા ફોન પર… જલ્દી વાત કરો હું જમી રહ્યો છું મારા કલીગ્સ સાથે.”
“હા, બેટા જમી લે. બાજુમાંથી વિવેક આવ્યો છે. મને થયું કે તારી મા ની દવા એની પાસે મંગાવી લઉં. તારી પાસે ડૉક્ટરનું પ્રીસ્ક્રિપ્શન હોય તો મોકલને એના વ્હોટ્સએપ પર.”
“હા મોકલી દઈશ થોડીવારમાં.”

જમીને એ એક મીટિંગમાં વ્યસ્ત થઈ ગયો. બરાબર એના પ્રેઝન્ટેશન વખતે જ શ્રદ્ધાનો ફોન આવ્યો. પ્રેઝન્ટેશન અધૂરું છોડીને એ ફોન અટેન્ડ કરવા મીટિંગરૂમમાંથી બહાર જતો રહ્યો.
“હા શ્રદ્ધા બોલ. કેવું છે મમ્મીને? તારી તબિયત તો સારી છેને? મારા એકપણ મેસેજનો રિપ્લાય ન આપ્યો એટલે મને…”
“હા તને તો શંકાઓ જ જવાની. તારી પાસે બીજું કામ શું છે? બસ ફરિયાદો જ હોય છે તારી પાસે. એવું નહીં કે સવારથી વાત થઈ નથી તો અત્યારે શાંતિથી વાત કરીએ. હું’ય તને યાદ કરતી જ હોઉં. પણ મમ્મીની તબિયત, અને એને લીધે ઘરેથી જ કામ કરવું પડે છે, આ બધા વચ્ચે મને તને ફોન કરવાનું મન થાય પણ ટાઇમ જ જતો રહે છે.”
“શ્રદ્ધા, મારી વાત પૂરી કરું એ પહેલા જ તું રાડો પાડવા લાગે છે. તારો જવાબ ન મળ્યો એટલે મને ચિંતા થતી હતી. આજે સવારથી જ નહીં, ગઈકાલે પણ તેં ફોન નહોતો ઉપાડ્યો. હું સમજુ છું કે તું વ્યસ્ત છે પણ એટલું વ્યસ્ત પણ ન થવું જોઈએ કે પોતાની વ્યક્તિ માટે સમય જ ન રહે.”
“અરે યાર, મારો ફોન ગઈકાલે આખો દિવસ આસ્થા પાસે હતો. એણે મને તારો ફોન આવ્યાનું કેમ નહીં કહ્યું હોય?”
“તારા ફોનમાં કંઈ દેખાડવું હોય તો તારા હાથમાં જ રાખીને મને એ દેખાડે છે. પણ આસ્થા પાસે આખો દિવસ પડ્યો રહ્યો! વ્હોટ્સએપ ગ્રુપમાં પણ એ જ મેસેજ કરી રહી હતીને? તું ખોટું બોલે છે ત્યારે તને એ પણ યાદ નથી રહેતું કે હું તારો પતિ છું અને આપણે ત્રણ ગ્રુપમાં સાથે છીએ. તારે મારી સામે ખોટું બોલવાની જરૂર નથી બેટા. તું કહીશ એના પર મને વિશ્વાસ હશે જ. ટ્રાન્સપરન્ટ રહીશું તો આપણે ઉત્તમ રીતે જીવન જીવી શકીશું.”
“આપણે પછી વાત કરીએ. તારો મૂડ સારો નથી લાગતો.”
ફોન મૂકાઈ ગયો. શું થઈ ગયું એ વિષે એ વિચારમાં પડી ગયો ત્યાં જ લિફ્ટ ખુલવાના અવાજે એને પોતે ઑફિસમાં હોવાની અને પોતાનું પ્રેઝન્ટેશન અધૂરું હોવાની પ્રતીતિ કરાવી.

સાંજે ઑફિસેથી છૂટીને એ પોતાના સાસરે ગયો. શ્રદ્ધાના પિતાએ ઘર ખોલ્યું. શ્રદ્ધા બહાર ગઈ હતી. થોડીવાર સાસુ-સસરા સાથે બેસ્યા બાદ એણે શ્રદ્ધાને ફોન કર્યો. ફરી નો-રીપ્લાઇ થયો. અડધી-એક મીનિટ વીતિ હશે ત્યાં એના સસરાનો ફોન રણક્યો. શ્રદ્ધાનો ફોન હતો. એના સસરાએ ફોન ઉપાડ્યા વિના જ શ્રવણને આપી દીધો.
“હેલ્લો પપ્પા, શ્રવણનો ફોન આવે તો કહી દેજો કે હું મારો ફોન ઘરે જ ભૂલી ગઈ છું.”
કંઈ જ બોલ્યા વિના શ્રવણે ફોન એના સસરાના હાથમાં આપી બન્નેના ચરણસ્પર્શ કર્યા અને ત્યાંથી જતો રહ્યો.

ઘરે પહોંચ્યો પાડોશીએ કહ્યું કે મમ્મીની તબિયત વધુ બગડી હતી એટલે શ્રવણના ભાઈબંધો મનિષ અને સચિન એમને દવાખાને લઈ ગયા હતા. શ્રદ્ધાના શબ્દોએ આ જ મિત્રોથી એને અળગો કરી નાખ્યો હતો. એને યાદ આવ્યું કે એણે તો દવાનું પ્રીસ્ક્રિપ્શન પણ નહોતું મોકલ્યું. એને સવારનું ફેસબૂક સ્ટેટસ પણ યાદ આવી ગયું. જે વાઇફને લાઇફ સમજતો, એણે એને અવગણ્યો અને પોતાને લાઇફ આપનાર મા-બાપને પોતે અવગણ્યા. એને રડવું આવી ગયું. ત્યાં જ એને મમ્મીનો અવાજ સંભળાયો.

“હા બેટા, કેમ રડી રહ્યો છું? શું થયું?” વિચાર કરતા-કરતા સુઈ ગયેલા શ્રવણની આંખો ખુલી ગઈ હતી. મમ્મીનો હાથ એના માથા પર ફરી રહ્યો હતો. એ મમ્મીને વળગીને ચોધાર આંસુએ રડ્યો. મમ્મી એને છાનો રાખવા એના માટે પાણી લેવા રસોડામાં ગઈ. આંસુ લૂછવા એણે બાજુના ટેબલ પરથી રૂમાલ લીધો. ટેબલ પર એની અને શ્રદ્ધાની તસવીર હતી. લગ્નપ્રસંગે વિદાયવેળાની એ તસવીરમાં એ શ્રદ્ધાના અશ્રુઓ લૂછી રહ્યો હતો.

(મારા એક મિત્રના જીવનની સત્યઘટના પર આધારિત વાર્તા.)

-કુલદીપ લહેરુ

Tuesday, January 8, 2013

'મને' શોધતો 'હું'...


હા, હું સકારાત્મક વિચારો કરવાની તરફેણમાં છું. હું માનું છું કે જેવું વિચારીએ એવું થાય. સારા વિચારોનું ફળ સારું અને નબળાં વિચારોનું ફળ નબળું જ મળવાનું. પરંતુ કેટલીક વાસ્તવિકતાને અવગણવી અશક્ય જ નહીં અસંભવ પણ છે. લોકો ભલે ગમે તેટલી સિદ્ધીઓ, સુખ-સાહ્યબી, આરામ અને મોજ-મસ્તીની વાતો કરતાં હોય પરંતુ એ બધાની સાથે-સાથે જો કોઈને કંઈક ’મિસ’ થઈ રહ્યાંની લાગણી ન થતી હોય તો એ વાત સાથે હું અસહમત છું. અઢળક દ્વિધાઓ, ચિંતાઓ, સમસ્યાઓથી ઘેરાયેલો અને એના ઊકેલની શોધમાં ફાંફાં મારતા માણસ પાસે ’કણસવા’ માટેની યોગ્ય જગ્યા પણ ક્યાં છે? કહે છે કે કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે છે. વાત સો ટચનાં સોના જેવી છે અને એ જ વાતે મને થોડા નકારાત્મક પાસાઓનો સાક્ષાત્કાર કરાવ્યો અને દુર્ભાગ્ય એ વાતનું છે કે આજે મહદ અંશે એ જ માનવીની ઓળખ બની ગઈ છે.
     મેળવ્યું તો ઘણું છે પણ એની સામે ગુમાવ્યું છે એનાથી અનેકગણું વધારે. લોકોનાં ઘર તો વધુ મોટા અને સુખ સગવડભર્યા થયાં છે પણ કુટુંબ નાનું થઈ ગયું છે. મા-બાપ ક્યાં તો અલગ રહેતાં હોય અને ક્યાં તો વૃદ્ધાશ્રમની ’શોભા’ વધારતાં થઈ ગયાં છે. મા-બાપ પાસે કિટી પાર્ટીઓ કે ઓફિશિયલ મીટિંગ્સમાં હાજર રહેવા માટે પૂરતો સમય છે પણ પોતાનાં સંતાનો સામે લાગણીથી જોવાનો સમય નથી. મકાનો વધુને વધુ મજબૂત થઈ રહ્યાં છે પણ ઘરો એટલી જ સરળતાથી ભાંગી રહ્યાં છે. ચહેરા પરનો મેકઓવર વોટરપ્રૂફ થઈ ગયો છે પણ ભવોભવ ન તૂટે એવા સંબંધોનો મેકઓવર સાંપની કાંચળીની માફક કોઈપણ સમયે ઊતરી જાય એવો થઈ ગયો છે. ભણતરનું સ્તર વધવાની સાથે સુધર્યું પણ છે પરંતુ ગણતરનીં દ્રષ્ટિએ શૂન્યતા ભણીની દોટમાં વધુને વધુ લોકો સામેલ થઈ રહ્યાં છે. લોકો કોઈ પણ બાબતની લાંબે ગાળે શું અસર થશે એ વિચાર્યા વિના માત્ર ક્ષણિક અને ટૂંકા ફાયદાઓ સુધી જ નજર માંડી રહ્યાં છે. અમૂલ્ય લાગણીઓની કિંમત અંકાઈ રહી છે. ચોરેને ચૌટે પ્રેમની વાતો તો વધી ગઈ છે પણ પ્રેમ ઘટી ગયો છે. પોતાના પ્રિયપાત્રનાં હાથમાં જ પહોંચશે કે નહીં એ શંકા સાથે મોકલાતા પ્રેમપત્રોને સ્થાને મોબાઈલમાં એસએમએસ અને ઈન્ટરનેટ પર ઈમેઈલે પ્રેમનો વિસ્તાર વૈશ્વિક અને અતિશય વેગીલો કરી દીધો છે પણ માનવીનું ટચૂકડું હ્રદય તો પ્રેમની વ્યાખ્યા જ ભૂલી ગયું છે. માનવીનાં મનની સાચી લાગણીઓ સમજવાને બદલે ખોટા શબ્દો પરની આસ્થા વધી રહી છે. ખરી લાગણી ખોટી પૂરવાર થાય છે અને દોડી-ભાગીને કોઈ સેવા કે મદદ કરે તો ક્યાં તો એમ કરવા પાછળ એનો કોઈ સ્વાર્થ હશે એવી ધારણા બંધાય છે કે પછી એની ગણતરી મૂર્ખ વ્યક્તિમાં થાય છે. વૈધકિય સારવાર, દવાઓ વિગેરે ક્ષેત્રે ખૂબ જ વિકાસ થયો છે પણ લોકોનું આરોગ્ય એટલું જ કથળી રહ્યું છે તથા શરીર અને મન નબળાં થઈ રહ્યાં છે. માનવી ચંદ્ર સુધી જઈ આવ્યો છે, ત્યાં વસવાનાં સપનાઓ પણ જોઈ રહ્યો છે પરંતુ પોતાના પાડોશીને ઓળખવાનો પ્રયત્ન તો શું વિચાર પણ વિસરાઈ ગયો છે. આવકમાં વધારો થયો છે પરંતુ માનસિક શાંતિ હણાઈ ગઈ છે. બુદ્ધિપ્રતિભા વધી છે પણ લાગણીઓ ઘટી રહી છે. બીજાનું જોઈને આપણાં ઘરમાં એલસીડી, એ.સી. અને ફોર વ્હિલર તો આવ્યા છે પણ લોકોની દેખાદેખીમાં આપણો સ્વભાવ પૂર્ણતાને બદલે અભાવ તરફ ફંટાઈ રહ્યો છે. આપણે આપણી પોતાની પ્રકૃતિ, જે ખરેખર પ્રેમ અને આનંદની સર્જક છે, એને ભૂલી જઈને મિથ્યાભિમાન, ક્રોધ અને લાલચ જેવા માનવશત્રુ સાથે હાથ મિલાવી રહ્યાં છીએ. જ્ઞાનમાં વધારો થયો છે પણ એ જ્ઞાનનો ક્યાં, ક્યારે ઊપયોગ કરવો એ વિવેક વિલય પામ્યો છે. દૂર્યોધનની માફક પોતે ખોટા હોવાની સમજ હોવા છતાં હાર સ્વિકારવાની તૈયારીનો અભાવ અથવા તો અસત્યનું વળગણ છોડવા માટેની અસમર્થતા વૃદ્ધિ પામી રહી છે. હ્રદય-મન અકળાવી મૂકનારાં વિચારોમાં છેલ્લે... માનવોની સંખ્યામાં તો વધારો થયો છે પણ માનવીની માનવતા ઝાંઝવાનાં જળ સમાન થઈ ગઈ છે. ઈશ્વર પાસે એ જ પ્રાર્થના કે તેઓ આ ખાલીપાને ભરે, જે સર્વત્ર વ્યાપ્ત છે...

Thursday, October 11, 2012

શક્ય છે કે અહીં તમે પણ હો!



ઐતિહાસિક અવશેષોની શોધમાં નીકળેલું પુરાતત્વવિદોનું એક જુથ મુંઝવણમાં ઘેરાયેલું હતું. એમની પાસે એ શોધ માટેનો નક્શો તો હતો પરંતુ એ અનેક ટુકડાઓમાં વિભાજીત થઈ ગયો હતો અને એ સ્થળ ક્યાં હશે એ કળવું અતિશય મૂશ્કેલ બની ચૂક્યું હતું. આ જુથની ખ્યાતિ એટલી વિશેષ હતી કે તેઓ જે ગામમાં જતાં ત્યાંનાં લોકો એમનો ખૂબ જ આદર-સત્કાર કરતા અને તેમને દરેક પ્રકારે સહાય કરવા તૈયાર થઈ જતાં. આ જ રીતે પોતાનાં પ્રવાસ દરમિયાન એક ગામમાં તેમને રાત રોકાવાનું થયું. વાળું કર્યા બાદ યજમાન અને મહેમાનો વાતો કરતા બેઠા હતા અને દરમિયાન નક્શાની ચર્ચા છેડાઈ. યજમાનનાં યુવાન પુત્રે એમને એ નકશાનાં ટુકડાં દેખાડવા માટે વિનંતી કરી. સંશોધકોએ વિચાર્યું કે લાંબા સમયનાં અનેક ધુરંધરોનાં અથાગ પ્રયત્નો છતાં આ નક્શાને જોડી શકાયો નથી તો આ લબરમુછીયો છોકરો શું કરી શકશે! પરંતુ યજમાનનું માન જાળવવાં એમણે એ હોંશીલા યુવાનના હાથમાં એ ટુકડાં પકડાવ્યાં. બધાનાં આશ્ચર્યની વચ્ચે થોડી જ વારમાં એ યુવાન જોડાયેલા નક્શા સાથે એ તમામની સામે હાજર થયો. જુથનાં નેતાએ એ યુવાનને આ અશક્ય લાગતું કામ કઈ રીતે શક્ય કરી બતાવ્યું એ વિશે પૃચ્છા કરી. એ યુવાને ખૂબ જ ભોળાભાવે કહ્યું કે એ પોતે આ નક્શા વિશે કશુ જાણતો ન હતો. એણે તો માત્ર નક્શાની પાછળની બાજુએ રહેલાં એક ચહેરાને જોડવાની કોશીષ કરી અને એમાં એ સફળ થયો. એ ચહેરો યોગ્ય રીતે ગોઠવાઈ એની પાછળના ભાગમાં રહેલો નક્શો પણ આપોઆપ પોતાનાં સ્થાન પર ગોઠવાઈ ગયો!

આ વાત, તમારી સામે રહેલી પરિસ્થિતિને તમે કઈ રીતે જુઓ છો એ બાબત પર ધ્યાન આપવાની પ્રેરણા આપે છે. દરેક સિક્કાની બે બાજુઓ હોય છે. આપણી આસપાસનાં લોકો અને સંજોગો પણ એવા જ કંઈક હોય છે. એને મૂલવવાની આપણી દ્રષ્ટિ કેવી છે એનાં પર આગળની પરિસ્થિતિ કેવો આકાર લેશે એનો આધાર રહેલો છે. 

મા-બાપનાં એકમાત્ર પુત્ર, કેવલનાં લગ્ન ખૂબ જ ધામધૂમ સાથે થયાં હતાં. ઘરમાં આવેલી નવવધૂ કૃપાએ પણ અનેક અરમાનો સાથે નવજીવનની શરુઆત કરી હતી. કેવલનાં પિતા સરકારી અધિકારી તરિકે નિવૃત થયા હતાં અને કેવલ પણ એક મલ્ટી નેશનલ કંપનીમાં સારા પદ પર કામ કરતો હતો. ઘરમાં કોઈ ચિજની ખામી ન હતી. આદર્શ કહી શકાય એવા આ કુટુંબ પર આફતનાં ઓછાયા ત્યારે વરતાવા માંડ્યા જ્યારે એમનાં ઘરમાં કૃપાનાં પિયર પક્ષની દખલઅંદાજી વધી ગઈ. એમની ચઢામણીનેક કારણે કૃપાનાં વર્તનમાં પણ પરિવર્તન આવવા લાગ્યું. કેવલ પોતનાં કામમાં વ્યસ્ત અને તેનાં પિતા અતિશય ધાર્મિક મનોવૃતિવાળા અને ખૂબ જ ભોળો સ્વભાવ ધરાવતાં વ્યક્તિ હોવાને લીધે એને અવગણ્યા કરતાં. પરંતુ હદ ત્યારે થઈ જ્યારે કૃપાનાં પિયરપક્ષનાં દૂરનાં સગાઓ આવીને કેવલનાં માતા-પિતાને કોઈ કારણસર ન બોલવાનાં વેણ બોલી ગયા. કૃપાનાં પિતા પણ એ સમયે ત્યાં હાજર હતાં તેઓ કશુ બોલી નહોતા રહ્યા. કેવલે એમને વચ્ચે બોલવા કહ્યું અને એમનાં સંબંધીઓને સમજાવવા કહ્યં પરંતુ તેઓ જાણે કોઈ ખાસ વિચાર સાથે જ આવ્યા હતા. એમણે કેવલનાં માતા-પિતાને કહ્યું કે, તેઓ બન્ને કૃપા અને કેવલને અલગ રહેવા દે. એમ થશે તો તેઓ શાંતિપૂર્વક જીવન વિતાવી શકશે. પોતાનાં ઊછેર વખતે કેવલનાં મા-બાપે વેઠેલા દુખ અને પરિશ્રમનો કેવલ સાક્ષી હતો. પોતાના સસરાની આ વાત એનાથી એ સહન ન થઈ અને એમને આગળ બોલતાં અટકાવ્યા અને સારા પણ સ્પષ્ટ શબ્દોમાં વધુ દખલ ન દેવા સમજાવી દીધું. પરંતુ હવે કૃપાનું વર્તન બદલાઈ રહ્યું હતું. વૃદ્ધ સાસુ-સસરાનું છાને ખૂણે કઈ રીતે અપમાન કરવું અને તેમને દુખ લાગે તેવું વર્તન કરવું એ જાણે નિત્યક્રમ બની ગયો હતો. એક હદ પછી સાસુએ બોલવાનું  શરુ કરી દીધું. ઘરમાં વધી રહેલા તણાવને લીધે કૃપા અને કેવલની વચ્ચેનાં અંગત સંબંધો પર અસર થઈ. કેવલ પોતાનું લગ્નજીવન બચાવવા માટેનાં શક્ય તમામ પ્રયાસો કરી ચૂક્યો છે. કૃપા ચોખ્ખા શબ્દોમાં જણાવતી ન હતી પરંતુ એનાં વર્તન પરથી એ સ્પષ્ટ થઈ રહ્યું હતું કે એને માત્ર કેવલ જોઈએ છે, એના મા-બાપ નહીં. કોઈ એક ખોટા પગલાને લીધે ભવિષ્ય કેવું બની શકે છે એ વિશે વિચારી શકતો કેવલ કોઈને છોડવા તૈયાર નથી. અને ઘરને એક તાંતણે બાંધી રાખવાનાં બધા જ પ્રયત્નો કરી રહ્યો છે. મા-બાપ અને કૃપા બન્ને સમજે છે કે અહીં કેવલની પરિસ્થિતિ ’સુડી વચ્ચે સોપારી’ જેવી થઈ ગઈ છે. પરંતુ એનો ઊકેલ કોઈની પાસે નથી. શિક્ષિત અને સમજદાર કેવલ પોતાનું અંગતજીવન બહાર પડે એ પણ ઈચ્છતો ન હતો અને મનમાં ઘૂંટાયા કરતો. 

અંતે કોઈ ઊપાય ન સૂઝ્યા બાદ એની એ વેદના એનાં એક અંગત મિત્ર કેવીન સમક્ષ ઠાલવવા પ્રયત્ન કર્યો. કેવલ એને પોતાનો આદર્શ ગણતો. કેવીન સમજુ પણ પૂર્વગ્રહથી પીડિત હતો. જુના કેસ પરથી આપવામાં આવતાં કોર્ટના ચૂકાદાઓની જેમ અન્ય કોઈનાં જીવનમાં ઘટેલી ઘટનાને આધારે એણે કેવલ પર જ દોષનો ટોપલો ઢોળી દીધો. કેવલ ઘણી અસમંજસ બાદ પોતાનાં મિત્ર કેવીન પાસે એ વાતની રજૂઆત કરી શક્યો હતો અને હવે જેની પાસેથી ઊકેલ નહી તો કંઈ નહી પણ આશ્વાસનનાં બે શબ્દોની ઈચ્છા રાખતા કેવલ સામે ઊલ્ટી પરિસ્થિતિનું નિર્માણ થયું. એક સમયનો હસમુખ, મિલનસાર અને પ્રેમાળ કેવલ આજે પોતે એકલો પડી ગયો હોવાની ભિતી સેવી રહ્યો છે. લોકોનાં અને મિત્રોનાં ટોળામાં ઘેરાયેલો રહેતો હોવા છતાં કેવલ પોતાનું કોઈ ન હોવાની કલ્પનામાં ધીરે-ધીરે પોતાની માનસિક સ્થિતિ પરનો કાબૂ ગુમાવી રહ્યો છે.

દરેક વ્યક્તિ, તેના વિચારો અને પરિસ્થિતિ એક સમાન નથી હોતી. અને તેથી કોઈ એક વ્યક્તિ અને તેના વિચારોનો તાળો મેળવતી વખતે આપણી સાથે સંકળાયેલા અન્ય લોકો અને તેમના વિચારોને સરખાવવા તદ્દન અયોગ્ય નિર્ણય છે. મારો આ મિત્ર ’અ’ કોઈ ચોક્કસ સ્થિતિમાં આ પગલું ભરે છે અને તેથી ’બ’ પણ એ પ્રકારની સ્થિતિમાં એવું જ વિચારશે એ વિચાર સંપૂર્ણપણે વ્યર્થ છે. એક જ વ્યક્તિની વિચારસરણી પણ જો બદલાઈ શકતી હોય ત્યારે બે અલગ-અલગ વ્યક્તિઓની વિચારસરણી એકસમાન હોવાની પરિકલ્પનાનો ખયાલ જ અવાંછનીય છેઐતિહાસિક અવશેષોની શોધમાં નીકળેલું પુરાતત્વવિદોનું એક જુથ મુંઝવણમાં ઘેરાયેલું હતું. એમની પાસે એ શોધ માટેનો નક્શો તો હતો પરંતુ એ અનેક ટુકડાઓમાં વિભાજીત થઈ ગયો હતો અને એ સ્થળ ક્યાં હશે એ કળવું અતિશય મૂશ્કેલ બની ચૂક્યું હતું. આ જુથની ખ્યાતિ એટલી વિશેષ હતી કે તેઓ જે ગામમાં જતાં ત્યાંનાં લોકો એમનો ખૂબ જ આદર-સત્કાર કરતા અને તેમને દરેક પ્રકારે સહાય કરવા તૈયાર થઈ જતાં. આ જ રીતે પોતાનાં પ્રવાસ દરમિયાન એક ગામમાં તેમને રાત રોકાવાનું થયું. વાળું કર્યા બાદ યજમાન અને મહેમાનો વાતો કરતા બેઠા હતા અને દરમિયાન નક્શાની ચર્ચા છેડાઈ. યજમાનનાં યુવાન પુત્રે એમને એ નકશાનાં ટુકડાં દેખાડવા માટે વિનંતી કરી. સંશોધકોએ વિચાર્યું કે લાંબા સમયનાં અનેક ધુરંધરોનાં અથાગ પ્રયત્નો છતાં આ નક્શાને જોડી શકાયો નથી તો આ લબરમુછીયો છોકરો શું કરી શકશે! પરંતુ યજમાનનું માન જાળવવાં એમણે એ હોંશીલા યુવાનના હાથમાં એ ટુકડાં પકડાવ્યાં. બધાનાં આશ્ચર્યની વચ્ચે થોડી જ વારમાં એ યુવાન જોડાયેલા નક્શા સાથે એ તમામની સામે હાજર થયો. જુથનાં નેતાએ એ યુવાનને આ અશક્ય લાગતું કામ કઈ રીતે શક્ય કરી બતાવ્યું એ વિશે પૃચ્છા કરી. એ યુવાને ખૂબ જ ભોળાભાવે કહ્યું કે એ પોતે આ નક્શા વિશે કશુ જાણતો ન હતો. એણે તો માત્ર નક્શાની પાછળની બાજુએ રહેલાં એક ચહેરાને જોડવાની કોશીષ કરી અને એમાં એ સફળ થયો. એ ચહેરો યોગ્ય રીતે ગોઠવાઈ એની પાછળના ભાગમાં રહેલો નક્શો પણ આપોઆપ પોતાનાં સ્થાન પર ગોઠવાઈ ગયો!

આ વાત, તમારી સામે રહેલી પરિસ્થિતિને તમે કઈ રીતે જુઓ છો એ બાબત પર ધ્યાન આપવાની પ્રેરણા આપે છે. દરેક સિક્કાની બે બાજુઓ હોય છે. આપણી આસપાસનાં લોકો અને સંજોગો પણ એવા જ કંઈક હોય છે. એને મૂલવવાની આપણી દ્રષ્ટિ કેવી છે એનાં પર આગળની પરિસ્થિતિ કેવો આકાર લેશે એનો આધાર રહેલો છે. 

મા-બાપનાં એકમાત્ર પુત્ર, કેવલનાં લગ્ન ખૂબ જ ધામધૂમ સાથે થયાં હતાં. ઘરમાં આવેલી નવવધૂ કૃપાએ પણ અનેક અરમાનો સાથે નવજીવનની શરુઆત કરી હતી. કેવલનાં પિતા સરકારી અધિકારી તરિકે નિવૃત થયા હતાં અને કેવલ પણ એક મલ્ટી નેશનલ કંપનીમાં સારા પદ પર કામ કરતો હતો. ઘરમાં કોઈ ચિજની ખામી ન હતી. આદર્શ કહી શકાય એવા આ કુટુંબ પર આફતનાં ઓછાયા ત્યારે વરતાવા માંડ્યા જ્યારે એમનાં ઘરમાં કૃપાનાં પિયર પક્ષની દખલઅંદાજી વધી ગઈ. એમની ચઢામણીનેક કારણે કૃપાનાં વર્તનમાં પણ પરિવર્તન આવવા લાગ્યું. કેવલ પોતનાં કામમાં વ્યસ્ત અને તેનાં પિતા અતિશય ધાર્મિક મનોવૃતિવાળા અને ખૂબ જ ભોળો સ્વભાવ ધરાવતાં વ્યક્તિ હોવાને લીધે એને અવગણ્યા કરતાં. પરંતુ હદ ત્યારે થઈ જ્યારે કૃપાનાં પિયરપક્ષનાં દૂરનાં સગાઓ આવીને કેવલનાં માતા-પિતાને કોઈ કારણસર ન બોલવાનાં વેણ બોલી ગયા. કૃપાનાં પિતા પણ એ સમયે ત્યાં હાજર હતાં તેઓ કશુ બોલી નહોતા રહ્યા. કેવલે એમને વચ્ચે બોલવા કહ્યું અને એમનાં સંબંધીઓને સમજાવવા કહ્યં પરંતુ તેઓ જાણે કોઈ ખાસ વિચાર સાથે જ આવ્યા હતા. એમણે કેવલનાં માતા-પિતાને કહ્યું કે, તેઓ બન્ને કૃપા અને કેવલને અલગ રહેવા દે. એમ થશે તો તેઓ શાંતિપૂર્વક જીવન વિતાવી શકશે. પોતાનાં ઊછેર વખતે કેવલનાં મા-બાપે વેઠેલા દુખ અને પરિશ્રમનો કેવલ સાક્ષી હતો. પોતાના સસરાની આ વાત એનાથી એ સહન ન થઈ અને એમને આગળ બોલતાં અટકાવ્યા અને સારા પણ સ્પષ્ટ શબ્દોમાં વધુ દખલ ન દેવા સમજાવી દીધું. પરંતુ હવે કૃપાનું વર્તન બદલાઈ રહ્યું હતું. વૃદ્ધ સાસુ-સસરાનું છાને ખૂણે કઈ રીતે અપમાન કરવું અને તેમને દુખ લાગે તેવું વર્તન કરવું એ જાણે નિત્યક્રમ બની ગયો હતો. એક હદ પછી સાસુએ બોલવાનું  શરુ કરી દીધું. ઘરમાં વધી રહેલા તણાવને લીધે કૃપા અને કેવલની વચ્ચેનાં અંગત સંબંધો પર અસર થઈ. કેવલ પોતાનું લગ્નજીવન બચાવવા માટેનાં શક્ય તમામ પ્રયાસો કરી ચૂક્યો છે. કૃપા ચોખ્ખા શબ્દોમાં જણાવતી ન હતી પરંતુ એનાં વર્તન પરથી એ સ્પષ્ટ થઈ રહ્યું હતું કે એને માત્ર કેવલ જોઈએ છે, એના મા-બાપ નહીં. કોઈ એક ખોટા પગલાને લીધે ભવિષ્ય કેવું બની શકે છે એ વિશે વિચારી શકતો કેવલ કોઈને છોડવા તૈયાર નથી. અને ઘરને એક તાંતણે બાંધી રાખવાનાં બધા જ પ્રયત્નો કરી રહ્યો છે. મા-બાપ અને કૃપા બન્ને સમજે છે કે અહીં કેવલની પરિસ્થિતિ ’સુડી વચ્ચે સોપારી’ જેવી થઈ ગઈ છે. પરંતુ એનો ઊકેલ કોઈની પાસે નથી. શિક્ષિત અને સમજદાર કેવલ પોતાનું અંગતજીવન બહાર પડે એ પણ ઈચ્છતો ન હતો અને મનમાં ઘૂંટાયા કરતો. 

અંતે કોઈ ઊપાય ન સૂઝ્યા બાદ એની એ વેદના એનાં એક અંગત મિત્ર કેવીન સમક્ષ ઠાલવવા પ્રયત્ન કર્યો. કેવલ એને પોતાનો આદર્શ ગણતો. કેવીન સમજુ પણ પૂર્વગ્રહથી પીડિત હતો. જુના કેસ પરથી આપવામાં આવતાં કોર્ટના ચૂકાદાઓની જેમ અન્ય કોઈનાં જીવનમાં ઘટેલી ઘટનાને આધારે એણે કેવલ પર જ દોષનો ટોપલો ઢોળી દીધો. કેવલ ઘણી અસમંજસ બાદ પોતાનાં મિત્ર કેવીન પાસે એ વાતની રજૂઆત કરી શક્યો હતો અને હવે જેની પાસેથી ઊકેલ નહી તો કંઈ નહી પણ આશ્વાસનનાં બે શબ્દોની ઈચ્છા રાખતા કેવલ સામે ઊલ્ટી પરિસ્થિતિનું નિર્માણ થયું. એક સમયનો હસમુખ, મિલનસાર અને પ્રેમાળ કેવલ આજે પોતે એકલો પડી ગયો હોવાની ભિતી સેવી રહ્યો છે. લોકોનાં અને મિત્રોનાં ટોળામાં ઘેરાયેલો રહેતો હોવા છતાં કેવલ પોતાનું કોઈ ન હોવાની કલ્પનામાં ધીરે-ધીરે પોતાની માનસિક સ્થિતિ પરનો કાબૂ ગુમાવી રહ્યો છે.

દરેક વ્યક્તિ, તેના વિચારો અને પરિસ્થિતિ એક સમાન નથી હોતી. અને તેથી કોઈ એક વ્યક્તિ અને તેના વિચારોનો તાળો મેળવતી વખતે આપણી સાથે સંકળાયેલા અન્ય લોકો અને તેમના વિચારોને સરખાવવા તદ્દન અયોગ્ય નિર્ણય છે. મારો આ મિત્ર ’અ’ કોઈ ચોક્કસ સ્થિતિમાં આ પગલું ભરે છે અને તેથી ’બ’ પણ એ પ્રકારની સ્થિતિમાં એવું જ વિચારશે એ વિચાર સંપૂર્ણપણે વ્યર્થ છે. એક જ વ્યક્તિની વિચારસરણી પણ જો બદલાઈ શકતી હોય ત્યારે બે અલગ-અલગ વ્યક્તિઓની વિચારસરણી એકસમાન હોવાની પરિકલ્પનાનો ખયાલ જ અવાંછનીય છે. 

Kuldeep Laheru
History TV18

Wednesday, October 3, 2012

ओ माय गोड! क्या ये सच नहीं है?




'ओ माय गोड' इस मूवी के लिए मेरा रिव्यू होगा न कि फिल्म में किसी एक्टर की एक्टिंग के लिए या फिर उसके डिरेक्टर के लिए. में लिखना चाहूँगा तो बस उन लोगों के लिए जो इस फिल्म का विरोध प्रदर्शित कर रहे है. क्यूँ भाई? कौनसी परेशानी है आपको अगर इस में एक नंगा सच बताया गया है? इस फिल्म का विरोध वो ही लोग करेंगे जिनकी दुकानों को इस फिल्म के कारण असर हो सकती है. में बहोत छोटा था ये समजने के लिए जब मेरे दादाजी दूध शिवजी को चढाने के बजाये किसी भूखे या गरीब को पिलाने को कहेते थे. पर आज में इतना तो समजता ही हूँ कि भगवान भाव के भूखे है और हम है कि उनके 'भाव' (कीमत) लगाते रहेते है. किसी मंदिर, मस्जिद या गिरिजाघर में रूपये देने के बदले अगर कोई जरूरतमंद को थोड़ी सी मदद कर दे तो क्या इश्वर कोपायमान हो जाएगा? बहोत ही गलत सोच कर दी गई है हमारी और साथ ही में गलत हो गए है हम भी. प्रभु के पास प्यार के कारण नहीं जाते मगर डर या कोई लालच के कारण जाते है. अगर में नहीं गया तो पाप लगेगा या भगवान को बुरा लगेगा. अगर में नहीं गया तो मुझे भगवान मुझे वो नहीं देगा जो मुझे चाहिए. भगवान मुझे ये दिलादे तो में तुम्हे ये प्रसाद चढाऊंगा या फलाना- ढीमकाना करूँगा.

अरे भाई, मतलब के इलावा कुछ  जानते ही नहीं है क्या? जब तक लालच है तब तक ही भगवान है क्या? जैसे ही मनचाही मुराद पूरी हो जाएगी, प्रभु को किये हुए वायदे के मुताबिक रिश्वत तो दे ही आओगे. और वो भी, सिर्फ एक डर के कारण कि अगर नहीं जाऊंगा तो भगवान अपनी दी हुई चीज़ वापस ले लेंगे. खैर मतलब ख़तम हो जायेगा तो अपने पति, पत्नी, माँ-बाप, भाई-बहेन, रिश्तेदारों, दोस्तों सब को छोड़ दोगे? प्यार, भावनाएं, सच इनका भी अस्तित्व है इस दुनियामें. क्यूँ भूल जाते है हम ये सब. सच का सामना करने कि ताकत ही नहीं रखते और बस जुड़ जाते है विरोध करने में. विरोध करो मगर उस बात का जो गलत है. जहा पर शेर बनना है वहां पर तो भीगी बिल्ली बन जाते है और चुप बैठ जाते है.

जरुरत है हमें थोडा बड़ा सोचने की, लोगों की भावनाओं को समजने की, इश्वर ने जो कहा है उन बातों का अनुकरण करने की.  कोई माँ-बाप अपने  बच्चों को भला दुखी और भिखारी बनके मांगता फिरता और दर दर की ठोकरें खाता कैसे देख सकते है? हम लोग ही तो चिल्ला चिल्ला के भगवान के सामने गाते रहेते है कि माता, पिता, बंधू, सखा, विद्या, धन दौलत सब कुछ तुम ही हो. तो फिर अगर जो हमारा सब कुछ है वो हमारा बुरा कैसे सोचेगा? उनसे डर कैसा? उनसे मिलो तो प्यार से मिलो भाई. अरे भगवान तो अपने बच्चों को प्यार, शांति और आनंद में जीते हुए देखना चाहते है. वे चाहते है कि हम एक बादशाह की तरह जिए न की याचक की तरह. पर हमें बस मांगना ही सिखाया गया है. भाई, वो सब कुछ देता है. उनका 'तथास्तु' का आशीर्वाद हरदम चलता रहेता है. और ये मेरा पर्सनल एक्सपीरियंस है (में वो ही लिखता हूँ, जिसकी मुझे अनुभूति हुई हो). यहाँ तक की वो हमारी पात्रता से कई ज्यादा ही दे देता है. पर वो समजने के लिए सकारात्मक द्रष्टि चाहिए, जिसको भगवान इश्वर के कुछ ठेकेदार खुलने ही नहीं देते. शिवजी का ज्ञान रूपी तीसरा नेत्र हमारे पास है ही पर उसके ऊपर नकारात्मक विचारों के एक के ऊपर एक ऐसे अनेकानेक परदे लगाये हुए है. सब के अन्दर शिव का वास है ऐसा मान कर सब में उन्ही के दर्शन करेंगे और अपना-पराया, गरीब-धनवान, जाती, धर्म को भूल कर यहाँ तक कि जिसको हम अपना दुश्मन समजते है उनको भी गले लगाते हुए चलेंगे तो वो भी दुश्मन मिट कर 'अपनों कि लिस्ट' में आ जायेगा फिर किसीको कोई तकलीफ, कही पर कोई दुःख या परेशानी ही नहीं रहेगी.

जरुरत है जीवन जीने का नजरिया बदलने की, फिर पराये भी अपने हो जायेंगे और सारा संसार मंदिर बन जायेगा, वैकुण्ठ भी यही दिखेगा और शिवधाम भी यही प्रतीत होगा. अल्लाह अपने साथ ही दिखेगा और इसु को भी अपने इर्दगिर्द ही पाओगे. बाद में हम दर्द से नहीं, खुश हो कर, मस्ती में झूम कर, नाचते गाते हुए पुकारेंगे 'ओ माय गोड'!
जय हो     

Friday, September 28, 2012

मैं और मेरा फेसबुक... अब तन्हाई कहाँ?


     अक्सर देखा गया है की रील लाइफ रियल लाइफ के ऊपर हावी हो जाती है. और लोग फ़िल्मी दुनियामे जीने लगते है. फिल्मों में हीरो के हाथों से विलन की पिटाई करते और हिरोइन के साथ बागों में गाना गाते देख 'शेखचल्ली' जैसे लोग अपने आप को परदे पर देखने लगते है. जेम्स बोंड की कोई मूवी देख कर बहार निकलते वक्त कार या बाइक ड्राइव करते लोगोमें अनेकानेक 'देसी जेम्स बोंड्स' के दर्शन अनायास ही हो जाते है. ऐसी कई फिल्मे है, जो नोवेल्स या किताबो (बुक्स) से प्रेरित हो कर बनाई गई हो. बुक्स का हमारे जीवन में अनूठा महत्व है. पिछले कुछ समय से ऐसी ही एक बुक ने मार्केट में धूम मचाई है. बुक्स इत्यादि के शौक़ीन लोग की सापेक्ष पढना लिखना कम पसंद या नापसंद करनेवाले लोग उसके संपर्क में रहेना अपना परम कर्तव्य मानते है. अब इतनी कहानी करने के बाद ये जानना मुश्किल नहीं है कि मैं 'फेसबुक' नामक उस 'परममित्र' की बात कर रहा हूँ जिसको लोग प्यारसे 'ऍफ़बी' कहे कर बुलाते है. (परममित्र शब्दप्रयोग - चूँकि पुस्तकों को मनुष्य के परममित्र का स्थान दिया गया है इसलिए फेसबुकमें 'बुक' शब्द का प्रयोग मात्र, उसको मनुष्यके परममित्र होने का स्थान आरक्षित करता है. और क्यों नहीं? भाई, हम उस के देश में जी रहे है, जहा आरक्षण के नाम पर सरकार बनती भी है और गिरती भी है!)

     अगर कोई एक फिल्म राह चलते इन्सान को 'देसी बोंड' (चाहे थोड़ी देर के लिए ही) बना सकती है तो आश्चर्य कैसा अगर ’फेसबुक’ भी ऐसा ही कुछ कारनामा कर रहा हो. मेरा एक 'फेसबुक फ्रेंड' चुटकुले जैसी दो चार लाइन्स लिख कर उसे फेसबुक पर बतौर शायरी पेश करता है. आदत से मजबूर लोग बिना पढ़े ही कमेंट्स और लाइक्स की बरसात कर देते है. नतीजा ये है की इन्होने अपने आप को मिर्ज़ा ग़ालिब समजना शुरू कर दिया है. और अब महाशय अपना सारा कामकाज छोड़कर बेठ गए है, अपने 'शेरो-शायरी' की एक किताब छपवाने! सारा दिन नई नई जिंगल्स (वह जनाब उसको शायरी कहेते है) बनता रहेता है और लोगों को (पकड़-पकड़ के) सुनाता रहेता है.

     रिश्तों के ऊपर इसकी असर कुछ ऐसी हुई है कि वास्तविक जीवन के संबंधों की सापेक्ष लोग फेस्बुकिया वर्चुअल रिश्तो को अहमियत देने लगे है. अपने जीवन की खुशियों को दूसरों की 'कमेंट्स' और 'लाईक्स' की सीमारेखा में बांधने लगे है. कई लोग आदत से मजबूर होते है और बिना कुछ सोचे-समजे ही 'लाईक' पर क्लीक कर देते है. और ये बात जानते हुए भी फेसबुक के नकली रिश्तों के आदि हो चुके लोग 'लाईक' पर किये गए क्लिक की प्रतीक्षा करते है और उसको लाईक (पसंद) करते है.

     मैं फेसबुक का विरोधी नहीं हूँ. मैं भी फेसबुक यूज़र हूँ और उसके सारे फीचर्स यूज़ करता हूँ. पर उसका आदि नहीं हूँ और न ही होना चाहता हूँ. किसी भी चीज़ का आदि होना ही सारी तकलीफों की 'अम्मा' है. कुछ काम से सुरत जाना हुआ. वहां मेरे मेरे एक परममित्र ने मझे होटल में ठहेरने नहीं दिया और अपने घर ले गए. देर रात तक में, वह और भाभी गप्पे हांक रहे थे. तभी मेरा ध्यान उनके बेटे पर गया. वह नींद में हाथ से कुछ इशारे कर रहा था. मेरे पूछने पर मेरे दोस्त ने बताया की, ''क्या करे भाई, सपने में किसी 'फेस्बुकिया फ्रेंड' से बतिया रहा होगा! मोबाइल पर फेसबुक होने के कारण हाथ पुरे दिन मोबाइल की स्विचिस पर घूमता रहेता है. अब सपने में फेसबुक बाबा न आये तो ही आश्चर्य!'' अब हाल ये हो रहा है की लोग सामने बैठे आँखें पटपटाते, हाथ-पैर हिलाते इन्सान से ज्यादा, फेसबुक पर किसने क्या कहा, क्या लिखा या कौनसी कमेन्ट दी और कौनसा फोटो शेयर किया ये सब बातें जानने में ज्यादा उत्सुकता दिखने लग गए है.
  
   एक बार मेरे एक करीबी दोस्त की ऑफिसमें ऐसा कुछ हुआ जो याद आता है तब बाल नोचने का मन (अपने नहीं, मोबाइल पर खेलते फेसबुक प्रेमिओं के) करता है. मई और मेरे मित्र के बिच कुछ गहन चर्चा हो रही थी. तभी अचानक कुछ धमाका हुआ. अपनी जगह से उठ कर धमाके की दिशा में गए तो देखा की मेरे मित्र की एक सहकर्मी अपनी कुर्सी से निचे गिर पड़ी थी. पीछे से मामला पता चला की मोबाइल फेसबुक गुरुदेव ने उसको इतनी ध्यानावस्था तक पहोंचा दिया था कि वो भूल गई कि वो ऑफिस में बेठी है. अपने किसी दोस्तने शेयर की हुई कोई पोस्ट पर लड़की इतना उत्साह में आ गई कि वह अपने अपना आपा खो बेठी. जैसे एक मदारी अपनी बंदरिया को नाचता है ठीक उसी तरह फेसबुक महाशय ने उसको अपने कंट्रोल में कर लिया था. जल्दी से कमेन्ट कर दू सोच कर इतने आवेग में आ गई कि कुर्सी पर बेठी बेठी उछल पड़ी. बस फिर जो होना था वो हो गया. एक धमाका और ऑफिस के सारे लोग वहा. अरे भाई, जरा धीरे! काहे की जल्दी है! थोड़ी सांसे लेना भी जरुरी है.
    

   हाल ही में फेसबुक ने अपने सुरक्षा नियमों को पहले से कुछ कड़ा कर दिया है जिसके कारण इसके उपयोक्ताओं में काफी रोष दिखा है। इसके कड़े सुरक्षा नियमों से नाराज उपयोक्ताओं ने एक समूह बनाकर फेसबुक पर फेसबुक के विरुद्ध ही अभियान चला दिया है। उन्होंने ने एक साइट बनाई है quitfacebookday.com . जिसपर फेसबुक उपयोक्ताओं से ३१ मई को फेसबुक छोड़ो दिवस के रूप में मनाने का आहवान किया है।

कौनसा देश कितना फेसबुक यूज़ करता है? जुलाई २०१२ तक के आंकड़े.
अमेरिका    -         15,56,00,000
ब्राज़ील -     -           5,28,00,000
भारत -                 5,10,00,000
इंडोनेशिया -           4,40,00,000
मेक्सिको   -           3,62,00,000

फेसबुक प्रेमिओं के नजरिये से देखे तो कुछ हद तक फेसबुक से कुछ फायदे भी जरुर हुए है.
·        लोग अपने खोए हुए दोस्तों, रिश्तेदारों को (अगर कंप्यूटरसेवी हो तो) ढूंड सकते है (सिर्फ फेसबुक पर एड करने के लिए). दूर रहेते हुए भी टेक्नोलोजी के कारण नजदीक हो गए है (लोगों को ऐसा कहेते सुना है! पर मैंने तो देखा है कि सामने बेठा आदमी मिलो दूर कर दिया जाता है. यहाँ तक कि इसके कारण कईओं की शादियाँ भी टूट चुकी है).
·        अपने विचार लोगों तक पहोचा सकते है (चाहे वो सही हो या गलत).
·        माइंड तरोताजा हो जाता है (मैंने तो सुना है कि ये एक एडिक्शन बन जाता है. और धीरे धीरे डिप्रेसन की गिरफ्त में आ जाता है).
·        नए नए दोस्त बनते है (इस लिस्ट में 'लायक-नालायक' के भेद की कौन परवाह करता है).
           
       मैं और मेरा फेसबुक ... अक्सर ये बातें करते है, तन्हाई थी तब तुम नहीं थे... अब बस लिख लेता हूँ… कभी- कभी 'तन्हाई' तेरे बारेमे... फेसबुक पर…

जय हो!!!!!
कुलदीप लहेरू 
Kuldeep Laheru